સહુ વિધાનોમાં ફકત એકજ વિષયની વાત છે

 સહુ વિધાનોમાં ફકત એકજ વિષયની વાત છે
અંતમાં બેઠો છે જે તેના ઉદયની વાત છે
 
બારણા ખુલ્લા મળે હૈયાઓ પણ ખુલ્લા મળે
આ કોઈ સતયુગ નહીં મારા સમયની વાત છે
 
આપણું કલચર બધા કોપી કરે તો શું જફા
આ પરાજયની નહીં આ તો વિજયની વાત છે
 
સુખ, સમૃદ્ધિ, શાંતિ, સમરસતા રહે સંસારમાં
એજ તો મારા તમારા વાંગમયની વાત છે
 
એક ટીપું પ્રેમને બદલે નદી અર્પણ કરીશ
આ કોઈ જુમલો નથી મારા હૃદયની વાત છે

No comments:

Post a Comment